અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 દિવસીય ગુજરાતના ચૂંટણી પ્રવાસે છે. બીજા તબના ચૂંટણીપ્રચાર માટે આવેલા નરેન્દ્ર મોદીએ નિકોલ ખાતેની જનસભામાં વિરોધીઓ પર આકરા શાબ્દીક પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યરની જીભ લપસ્યાનો લાભ પ્રધાનમંત્રીએ એક હોશિયાર રાજકારણીની જેમ ઉઠાવ્યો છે.
નિકોલ ખાતેની સભામાં તેમણે માત્ર મણિશંકર ઐયર પર જ નહીં પરંતુ કોંગ્રેસના એક ડઝનથી વધારે નેતાઓના નામ લઈ લઈને આકરા પ્રહારો કર્યા હતા. પોતાના પર ગંદી શાબ્દિક ભાષામાં કોંગ્રેસના નેતાઓ તરફથી થયેલા હુમલોનો તેમણે ગણી ગણીને બદલો લીધો હતો.
વડાપ્રધાને જાહેરમંચ પરથી કહ્યું કે કોંગ્રેસીઓએ મને પ્રથમવાર નીચ નથી કહ્યો. સોનીયા તેનો પરિવાર અને કોંગ્રેસી નેતાઓ આ પહેલા કેટલીવાર આવા શબ્દો કહી ચૂક્યા છે. મને ન કહેવાના શબ્દો કહ્યાં. કહ્યું કે મોદી સાપ છે દલાલ છે. વાંદરો છે ગાંડો છે કૂતરો છે આવાં ખરાબ શબ્દો કહી ચૂ્ક્યા છે. કારણ કે હું ગરીબ અને ગુજરાતી છું એટલે આટલી નફરત કરે છે.
વધુમાં મોદીએ કોંગ્રેસના નેતાઓના નિવેદનો યાદ કર્યા હતા. મોદીએ કહ્યું કે રાહલ ગાંધી લોહીની દલાલી કરનારો કહે છે આનંદ શર્મા મને માનસિકરૂપે બીમાર કહે છે. સોનીયા ગાંધી ઝેરની ખેતી કરનાર જયરામ રમેશે ભસ્માસૂર બેની વર્માએ પાગલ કૂતરો કહ્યું છે.
મનીષ તિવારીએ દાઉદ કહ્યો તો પ્રમોદ તિવારીએ હિટલર મુસોલિની અને ગદ્દાફી સાથે સરખામણી કરી. ઇમરાન મસૂદે કહ્યું કે તે મારા ટુકડા કરી નાખશે. ગુલામ નબી આઝાદે ગંગુતૈલી તો રેણુકા ચૌધરીએ વાયરસ કહ્યો હતો. કોંગ્રેસે મને દિવસ-રાત ગાળો આપી છે. હું શાંત રહ્યો કારણ કે મારી પ્રાથમિકતા કામ કરવાની છે.