પ્રધાનમંત્રી નરેદ્ર મોદી યુનાઇટેડ અરબ અમિરાતના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન પીએમ અબુ ધાબી પહોંચ્યા છે. આજે પીએમ મોદીના પ્રવાસનો બીજો દિવસ છે. ત્યારે પીએમ મોદીએ વાહત અલ કરમામાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ત્યારબાદ તેમણે અબુધાબીમાં સ્વામિનારાયણના મંદિરનુ વીડિયો કોન્ફરન્સ દ્વારા શિલાન્યાસ કર્યો હતો.
PM મોદીએ ત્યાં હાજર ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યુ કે અબુ ધાબીમાં સેતુ રૂપ હિન્દુ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. આ માનવ પાર્ટનરશિપનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ મંદિર ખૂબ ભવ્ય હશે. આ માટે હું યુએઈના પ્રિન્સનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું.
દુબઇના ઓપેરા હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રવાસી ભારતીયોને સંબોધન કરતાં કહ્યું કે નોટબંધી એક સાચી દિશામાં ઊઠાવવામાં આવેલું સાચું પગલું છે. ગરીબ લોકો નોટબંધીને સાચી દિશામાં ઊઠાવેલું પગલું માની રહ્યા છે.
એમને પોતાના ભાષણમાં કહ્યું કે ખાડી દેશો સાથે ભારતનો સંબંધ ગાઢ છે. અમે માત્ર બાયર અને સેલર નથી પરંતુ એકબીજાના સહયોગી છે. એમને કહ્યું કે ખાડી દેશોમાં 30 લાખથી વધારે ભારતીય રહે છે. ભારતની બહાર રહીને પણ અહીંયા ભારત જેવો માહોલ લાગે છે.
પીએમએ કહ્યું કે આપણે એ પરંપરાથી મોટા થયા છે જ્યાં મંદિરને માનવતાનું માધ્યમ માનવામાં આવે છે. આ મંદિર આધુનિક તો હશે પરંતુ વિશ્વને વસુધૈવ કુટુમ્બકમ અનુભવ કરાવવાનું માધ્યમ બનશે.