જ્યારે તા.4ના રોજ પીએમ મોદી વલસાડના ધરમપુરમાં રેલીને સંબોધશે. જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર જુનાગઢ અને જામનગરના મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરશે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આગામી ચૂંટણી પ્રચાર કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે. આગામી 6 ડિસેમ્બર બાદ 3 તબક્કામાં પીએમ મોદી ગુજરાત આવશે.
જે માટે ધમાકેદારે ચૂંટણીપ્રચાર કાર્યક્રમ બનાવવામાં ભાજપ વ્યસ્ત થઈ ગયો છે. 12 ડિસેમ્બર સુધીમાં તેઓ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પ્રચાર કરશે.
પોતાના આ ગુજરાત પ્રચાર પ્રવાસ દરમિયાન મોદી 24થી વધુ જનસભાઓ અને રોડશો યોજશે. પીએમ સતત ગુજરાતમાં રહીને ચૂંટણીપ્રચાર કરશે. ત્યાર બાદ 14મી ડિસેમ્બરે અમદાવાદમાં તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.