બનાસકાંઠાઃ આગામી વિધાનસભાની ચૂંટણી માટે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે પીએમ મોદીએ અંબાજીમાં અંબેમાના દર્શન કર્યા છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે પીએમ મોદીએ અંબાજીમાં આરતી કરી હતી.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાબરમતી નદીથી મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમ સુધી સી-પ્લેનમાં ઉડાન કરી હતી. જેમાં તેઓ ગણતરીમાં સમયમાં જ ધરોઈ ડેમ પર લેન્ડ થયા હતા.
જ્યાંથી અંબાજી મંદિર તરફ જવાના રસ્તે તેમનો ભવ્ય રોડશો યોજાયો હતો. ખુલ્લી જીપમાં ઉભા રહીને તેમણે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રોડ શો દ્વારા પીએમ મોદી પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માતાના મંદિરમાં પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી બીજા તબક્કાના મતદાન આડેની એક પળ પણ પ્રચાર માટે ચૂકવાના મૂડમાં નથી. આજે પીએમ ફરી વખત સાબરમતી નદીના નીર પર સી-પ્લેનથી વિકાસની ઉડાન ભરી હતી. ત્યાંથી સી-પ્લેનમાં બેસીને જ પીએમ મોદી ધરોઈ ડેમ પહોંચ્યા હતા. જ્યાં ધરોઈ ડેમનની સપાટી પર સી-પ્લેનનું ઉતરાણ કરાવી. શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાના દર્શન કરવા પહોંચ્યા હતા. દર્શન બાદ પીએમ મોદી ધરોઈથી સાબરમતી રિવરફ્રંટ જવા રવાના.