નવી દિલ્હી: 13 ડિસેમ્બર 2001 તારીખ છે જ્યારે દેશના લોકતંત્રના મંદિર પર લશ્કર એ તૈયબાના 5 આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલાને 17 વર્ષ થવા જઇ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંસદ હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાજંલિ આપી. આ પ્રસંગે ઉપ રાષ્ટ્રપતિ વૈંકેયા નાયડું પૂર્વ પ્રધાનમત્રી મનમોહન સિંહ કોંગ્રેસના નવ નિર્વાચિત અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્રીય મંત્રી રવિ શંકર પ્રસાદ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સુમિત્રા મહાજન લાલકૃષ્ણ અડવાણી સોનિયા ગાંધી સહિત ઘણા નેતાઓએ શ્રદ્ધાજંલિ આપી.
2001ની 13 ડિસેમ્બરે સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું હતું. સંસદ સત્ર થોડાક સમય પહેલા જ સ્થગિત થયું હતું કેટલાક સાસંદ એ સમયે પરિસરમાં જ હતા તો કેટલાક તત્કાલીન પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયી સહિત કેટલાક નેતા સંસદથી નિકળ્યા હતા.
આતંકીઓએ સવારે 11.20 મિનિટ પર સંસદ પર હુમલો કર્યો હતો. સફેદ રંગની કારમાં આવેલ 5 તંકી સંસદ ભવન પરિસરમાં ઘુસ્યા હતા આતંકીઓની કર પર ગૃહમંત્રલયનું સ્ટીકર હતું જેન કારણે સુરક્ષાદળો એમને રોકી શક્યા નહતા. આતંકીઓએ કારમાંથી ઊતરીને ધનાધન ફાયરિંગ શરૂી કરી દીધું હતું.