ઉત્તરાખંડ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેદારનાથ મંદિર પહોંચીને પૂજા અર્ચના કરી. મોદીએ મંદિરમાં રૂદ્રાભિષેક કર્યો. પ્રધાનમંત્રીએ આશરે 20 મિનીટ સુધી પૂજા કરી. PM એ અહીંયા 5 યોજનાનું શિલાન્યાસ કર્યું. પીએમએ પોતાના ભાષણની શરૂઆત જય-જય કેદારના ઉદ્ધોષથી કરી. એમણએ ગઢવાલી ભાષામાં પણ ભાષણ આપ્યું.
પીએમએ અહીંયાથી દરેક દેશવાસીઓને દિવાળીની શુભકામના આપી. એમણે ગુજરાતના નવા વર્ષની શુભેચ્છા પાઠવી. મોદીએ કહ્યું કે એક સમય હતો કે હું અહીંયા જ રહેતો હતો પરંતુ કદાચ પ્રભુની ઇચ્છા નહતી કે હું હંમેશા અહીંયા જ રહું. આજે એક વખત ફરીથી બાબાએ એમના દ્વારે બોલાવ્યો છે.
Building modern infrastructure in Kedarnath but the traditional soul will be preserved and will ensure environment laws not flouted: PM pic.twitter.com/HUzSsVhN9p
મોદીએ કહ્યું કે આજે અહીંથી નવી ઊર્જા લઇને 2022માં ન્યૂ ઇન્ડિયાના લક્ષ્યને આગળ વધારીશું. મોદીએ કહ્યું કે 2013માં જ્યાં અહીંયા પૂર આવ્યું હતુંત્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો અને અહીંનું પુનનિર્માણ કરવાની અપીલ કરી હતી. ત્યારે અહીંના મુખ્યમંત્રીએ બેઠકમાં હા પાડી દીધી હતી પરંતુ થોડાક સમયમાં જ દિલ્હીના રાજકારણમાં તોફાન આવી ગયું હતું. તેમજ દિલ્હીના દબાણના કારણે ઉત્તરાખંડ સરકારે ગુજરાતની મદદ લેવાની ના પાડી દીધી.
પીએમએ જણાવ્યું કે આજે અમે જે 5 પરિયોજનાનું શિલાન્યાસ કર્યું એ હેઠળ ઘાટોને સુધારવામાં આવશે રસ્તાઓ પહોળા કરવામાં આવશે. ભવ્ય અને દિવ્ય વાતાવરણનું નિર્માણ થશે પુજારીઓ માટે થ્રી ઇન વન ઘર બનશે.
પીએમએ કહ્યું કે ગૌરીકુંડથી કેદારનાથ ચાલતાં જવાના રસ્તાને પણ પહોંળા કરવાનું કામ સરકાર કરશે. પીએમએ જણાવ્યું કે આ યોજનાઓ હેઠળ મંદાકિની અને સરસ્વતી કિનારા પર ઘાટ બનાવવામાં આવશે.
મોદીએ કહ્યું કે ગુરુ શંકરાચાર્યની સમાધિનું પણ પુનનિર્માણ થશે. એમણે કહ્યું કે બધી સરકાર ઉદ્યોગ ક્ષેત્રનો લોકોને અપીલ કરું છું કે એ લોકો આ કામમાં સાથે આવે. મોદીએ કહ્યું કે મારો અહીંયા આવવાનો હેતુ હતો કે લોકો જૂની ઘટનાને ભૂલીને અહીંયા આવવાની શરૂઆત કરે. એમણે કહ્યું કે આ દરેક પરિયોજનાઓમાં પર્યાવરણના દરેક નિયમોનું ધ્યાન રાખવામાં આવશે.
તમને જણાવી દઇએ કે 2013માં પૂર આવવાના કારણે કેદારનાથ ધામને ખૂબ જ નુકસાન થયું હતું. ઉત્તરાખંડનું કેદારનાથ ધામ ભારતની ચાર સૌથી મહત્વના ધામોમાંથી એક છે. આ આપત્તિમાં આશરે 4500 થી વધારે લોકો મૃત્યુ પામ્યા હતા.
નોંધનીય છે કે આ પહેલી પીએમ મોદીએ આ વર્ષના મે મહિનામાં કેદારનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. પીએમ નરેન્દ્ર મોદી કેદારનાથ મંદિરના ગેટ ખુલતાં પહેલા ત્યાં પહોંચી ગયા હતા. પ્રધાનમંત્રીએ પવિત્ર મંદિરના ગર્ભગૃહમાં પૂજા અર્ચના કરી હતી અને એમને ભેટ પણ આપવામાં આવી હતી.
ત્યારે પીએમ મોદી કેદારનાથ દર્શન દરમિયાન આ ધાર્મિક સ્થળના પુનનિર્માણથી જોડાયેલી કેટલીક યોજનાઓનું ઉદ્ધાટન કરશે. એમાં મંદાકિની અને સરસ્વતી નદી પર બનેલા ઘાટ અને મંદિરની સુરક્ષા માટે બનેલી સુરક્ષા દિવાલ અને મંદિર સુધી જવાના રસ્તાનું ઉદ્ધાટન કરશે.