ગાંધીનગરઃ આગામી વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર માટે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ગાંધીનગર આવેલ કમલમ્ ખાતે પીએમ મોદીઓ ભાજપના હોદ્દેદારો સાથે બેઠક કરી છે. આ બેઠકમાં અમિત શાહ અનએ ભીખુ દલસાણીયા સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા છે. આ બેઠકમાં પીએમ મોદી પ્રદેશના નેતાઓને ચૂંટણીલક્ષ માર્ગદર્શન આપ્યું.
મહત્વનુ છે કે આજે ચૂંટણીના પ્રચારનો છેલ્લો દિવસ છે ત્યારે પીએમ મોદીએ ચૂંટણી પહેલા બેઠક કરી છે અને આ બેઠકમાં ચૂંટણી અંગે ચર્ચા પણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી બીજા તબક્કાના મતદાન આડેની એક પળ પણ પ્રચારમાટે ચૂકવાના મૂડમાં નથી. આજે પીએમ ફરી વખત સાબરમતી નદીના નીર પર સી-પ્લેનથી ઉતરાણ કર્યું. સવારે 9.30 વાગ્યે સરદારબ્રિજ પાસે નદીના નીર પર સી-પ્લેન ઉતાર્યા હતા.
ત્યાંથી કમલમ્ પહોંચ્યા હતા. તેઓ સી-પ્લેનમાં બેસીને જ પીએમ મોદી ધરોઈ ડેમ જવા રવાના થશે. અને ધરોઈ ડેમનની સપાટી પર સી-પ્લેનનું ઉતરાણ કરાવશે. ત્યાંથી 11.30 વાગ્યે અંબાજી માતાના દર્શન કરવા જશે. દર્શન બાદ બપોરે 2.30 વાગ્યે ધરોઈથી સાબરમતી રિવરફ્રંટ પર પરત ફરશે.