ગંદા રાજકારણમાં કોઈના મોતનો મલાજો ન જાળવવાની જાણે ફેશન થઈ ગઈ છે. ડાબેરી વિચારધારા સામે પોતાનો અવાજ બુલંદ રાખનાર મહિલા પત્રકાર ગૌરી લંકેશની હત્યા પર નિખિલ દધિચ નામના યુવાને કરેલી અભદ્ર ટ્વીટથી દેશભરમાં હોબાળો મચ્યો છે.
સુરતમાં કાપડનો વેપાર કરતો નિખિલ દધિચ નામના કટ્ટરપંથી યુવાને ગૌરી લંકેશના મોત અંગે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે. એટલું જ નહીં પીએમ નરેન્દ્ર મોદી પણ નિખિલને ફોલો કરતા હોવાનો દાવો કરાયો છે.
કટ્ટર હિંદુવાદીઓ આઈ સ્ટેન્ડ વીથ નિખિલ ટ્રેન્ડ કરી રહ્યા છે. નિખિલ મામલે ઉદારવાદીઓ અને કટ્ટરવાદીઓ સામસામે વહેંચાઈ ગયા છે. ઉદારવાદીઓ નિખિલ પર ફિટકાર વરસાવી રહ્યા છે.