પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમણે આજે પંચમહાલનો પ્રવાસ ખેડયો હતો. પંચમહાલમાં જાહેરસભામાં કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢી હતી.
અને પ્રહાર કરતાં જણાવ્યું હતું કે દેશમાંથી કોંગ્રેસ એના પાપે સાફ થઈ ગઈ છે. કોંગ્રેસને ખબર નથી કે જનતાનો મિજાજ બદલાઈ રહ્યો છે.
તો વિકાસ અંગે તેમણે જણાવ્યું હતું કેશાંતિ અને સદભાવનાના મિશનથી ગુજરાતને આગળ લઈ જઈશું. અમે ગુજરાતને 24 કલાક વીજળી આપવાનું વચન આપ્યું હતું જે અમે પૂરું કર્યું છે આજે ગુજરાતમાં 24 કલાક વીજળી મળતી થઈ છે તે વિકાસનું મોડલ છે.
પંચમહાલે તો આજે કમાલ કરી દીધી: PM
ગુજરાત વિકાસની નવી ઉંચાઇએ: PM
દેશની જનતાએ કોંગ્રેસને ઉંખાડી ફેંકી છે: PM
દેશમાંથી કોંગ્રેસ એના પાપે સાફ થઇ: PM
કોંગ્રેસ પાર્ટીને ખબર નથી કે જનતાનો મિજાજ બદલાઇ રહ્યો છે: PM
શાંતિ અને સદભાવનાના મિશનથી ગુજરાતને આગળ લઇ જશુ: PM