અમદાવાદ: પીએમ મોદી અને ઇઝરાયલ પીએમ નેતન્યાહૂ આજે અમદાવાદની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેમણે 8 કિમી રોડ શો કર્યા બાદ તેઓ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પતંગ ચગાવ્યો. પીએમ મોદી અને નેતન્યાહૂ બાવળા પહોંચી ગયા છે. જ્યાં તેમને આઇક્રિએટ સેન્ટરનું ઉદ્ધાટન કર્યું. થોડીવારમાં પીએમ મોદી આઇક્રિએટ સેન્ટરમાં સંબોધન પણ કરશે.
આઈક્રિએટ સેન્ટર પરથી CM રૂપાણીનું સંબોધન:
ભારત અને ઈઝરાયેલ વચ્ચે મહત્વના સંબંધો.
PM મોદીની ઈઝરાયેલની મુલાકાતના કારણે બંને દેશના સંબંધો ગાઢ બન્યા.
વાઇબ્રન્ટ સમિટમાં ઇઝરાયલ કૃષિમંત્રી ગુજરાત આવ્યાં હતા.
આઈક્રિએટ એ ભારત અને ઈઝરાયેલ વચ્ચેનો લાંબો સંબંધ છે.
ઈઝરાયેલ વાઈબ્રંટ ગુજરાતમાં પણ સહભાગી.
ઉદ્યોગપતિઓને ઈઝરાયેલ PMનું સંબોધન:
મોદીએ આઈક્રિએટની સ્થાપના કરી હતી.
મોદી ભારતમાં ક્રાંતિ લાવી રહ્યા છે.
દુનિયા આઇ ફોન વિશે જાણે છે.
આજથી દુનિયા આઇક્રિએટ વિશે જાણશે.
ટેકનોલોજી અને યુવાનો દેશનુ ભવિષ્ય.
ગુજરાત અને ઈઝરાયસ વચ્ચે 2001થી વ્યાપારીક મિત્રતા.
ઈઝરાયલ ભારતને તમામ ક્ષેત્રોમાં મદદ કરશે.
જય હિંદ જય ભારત.
આઈક્રિએટ સંસ્થામાં PM મોદીનુ સંબોધન:
આઈક્રિએટ સેન્ટર દેશના યુવાનોને સમર્પિત છે.
નેતન્યાહૂને ભારત આવવા બદલ આભારઃ PM મોદી
મિત્ર નેતન્યાહૂના ભારત આવવાનો ઈંતેજાર કરતો હતો.
સહ પરિવાર આવવા બદલ નેતન્યાહૂનો આભાર.
પુરા વિશ્વમાં ગુજરાત અને ગુજરાતીનું નામ ગુંજે છે.
આઇક્રિએટ સંસ્થા ભારતનું નામ વિશ્વમાં નામ રોશન કરશે.
ઇઝરાયલની ક્રિએટિવિટી પૂરા વિશ્વમાં આવકાર દાયક છે.
આઈક્રિએટમાંથી બહાર નિકળનારા વિદ્યાર્થીઓ દેશનું નામ રોશન કરશે.
ભારત અને ઇઝરાયલનાં લોકોને નજીક લાવવા માટે ઇનોવેશન ખૂબ જ મહત્વનું કામ કરશે.
ઈઝરાયલના વૈજ્ઞાનિકોને અલગ અલગ ક્ષેત્રોમાં નોબલ પુરસ્કાર મળ્યા છે.
શું છે iCREATE
iCREATE એક સ્વતંત્ર સંસ્થા છે. જેનો ઉદ્દેશ ઉદ્યોગપતિઓને ક્રિએટિવિટી ઇનોવેશન પ્રોડક્ટ ડિઝાઇન અને નવી ટેકનોલોજી દ્વારા ફૂડ સિક્યોરિટી પાણી કનેક્ટિવિટી સાઇબર સિક્યોરિટી આઇટી અને ઇલેક્ટ્રોનિક્સ નોન-કન્વેશનલ એનર્જી બાયોમેડિકલ ઇર્વિપમેન્ટ અને ડિવાઇસ વગેરે ક્ષેત્રોમાં મદદ કરે છે.
iCREATEના શબ્દોમાં જ કહીએ તો મની મેન્ટર અને માર્કેટનું વન સ્ટોપ શોપ જે ઉદ્યોગપતિઓને દરેક સમસ્યાનો ઉકેલ ઉપલબ્ધ કરાવે છે.