નવી દિલ્હી: પેટ્રોલ ડિઝલના વધેલા ભાવને લઇને ઘણા દિવસોથી ટીકાનો સામનો કરી રહેલી મોદી સરકાકે 4 ઓક્ટોબરથી પેટ્રોલિયમ પદાર્થોની કિંમતો ઓછી કરવા માટે મહત્વનું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલ પર લાગનારી બેસિક એક્સાઇઝ ડ્યૂટીને પ્રતિ લીટર 2 રૂપિયા ઓછું કરી દેવામાં આવ્યું છે.
આ જાણકારી નાણામંત્રાલયએ મંગળવારે સાંજે એક ટ્વિટ કરીને આપી હતી. આટલું જ નહીં કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને કહ્યું કે એ પણ પેટ્રોલ અને ડિઝલ પર લાગતો પોતાનો વેલ્યૂ એડેડ ટેક્સની સમીક્ષા કરે. આ ઉપરાંત ઓયલ માર્કેટિંગ કંપનીઓ સાથે પણ કિંમતોની સમીક્ષા કરવા માટે કહેવામાં આવ્યું છે.
માનવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકારે પેટ્રોલ ડિઝલ પર બે રૂપિયા પ્રતિ લીટર વેટની કમી ઓછી કરી શકે છે અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એક રૂપિયા પ્રતિ લીટરનો કાપ મૂકી શકે છે. આજ રીતે ગ્રાહકોને આશરે પાંચ રૂપિયા પ્રતિ લીટરનો ફાયદો થઇ શકે છે. એક અધિકારીએ જણાવ્યું કે પેટ્રોલ અને ડિઝલનમાં 4 થી 5 રૂપિયા પ્રતિ લીટરનો કાપ મૂકવાની જરૂર છે.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ડાયરેક્ટ ફાયનેન્સ એકે શર્માએ આ ક્ષેત્રમાં થઇ રહેલા નવા ઘટનાક્રમ માટેની જાણકારી આપી છે. એમણે કહ્યું કે અમે ગ્રાહકોને પૂરો લાભ આપી રહ્યા છીએ. આ જમતા માટે રાહત છે. એમણે કહ્યું કે સરકારે જનતાના હિતમાં સાચો નિર્ણય કર્યો છે અને જ્યાં સુધી ગ્રાહકોને લાભ આપવાની વાત છે તો અમે સરકારની સાથે છે.