રાજકોટઃ 2 વર્ષ પહેલા સાધુ વાસવાણી હોસ્પિટલમાં મોતિયાનુ ઓપરેશન કરાવનાર દર્દીઓને દ્રષ્ટિ ગુમાવી પડી હતી. ત્યારે હવે 2 વર્ષ બાદ આ મામલે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે હોસ્પિટલના ડોક્ટર હેતલ બખાઈ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
મહત્વનુ છે કે હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 11 વ્યક્તિઓએ દ્રષ્ટિ ગુમાવી હતી. આ ઓપરેશન ડોક્ટર હેતલ બખાઈ દ્વારા કરવામાં આવ્યા હતા. અને ડોક્ટરની બેદરકારીના કારણે લોકોને દ્રષ્ટિ ગુમાવી ત્યારે હવે આંધાપા મામલે ડોક્ટર સામે ફરિયાદ નોંધવામાં આવી છે.