રાજકોટ: ગત રાત્રે મોરબીની મુલાકાતે આવેલા પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ અનેક સમાજના અગ્રણીઓ અને સીરામીક ઉદ્યોગકારો સાથે બેઠક યોજી હતી અને સાંજે સુપર માર્કેટ નજીક યોજાયેલી વિશાળ સભાને સંબોધતા જણાવ્યું હતું કે અમારું આ આંદોલન આવનારી પેઢી માટે છેકહેવા વાળા કહે છે કે પાટીદાર અનામત આંદોલનનો દલિતો અને અન્ય સમાજના લોકો વિરોધ કરે છે પરંતુ હકીકતમાં આવું કહી નથી આજે હું મોરબીમાં બધા સમાજને મળ્યો બધા સમાજના લોકો અમારી સાથે જ છે.
વધુમાં સભામાં હાર્દિક પટેલે મોરબીની જ વધારે વાતો કરી હતી અને મોરબીમાં પાટીદારો સાથે પાટીદાર સમાજના જ ધારાસભ્ય કેવા ખેલ પડે છે તેના ઉદાહરન આપી પોલીસ સહિતના વિભાગો પાટીદારો પાસેથી બેફામ લાખો રૂપિયા તોડ કરતા હોવાનું ખુલમ ખુલા જણાવી આ બધી પરિસ્થિતિ માટે સમાજને જવાબદાર ગણાવી ૨૫-૨૫ વર્ષથી ચુંટી ગાંધી નગર મોકલતા બાઘડ બિલાને હવે સાચું સ્થાન બતાવી મનોજ પનારા જેવા નેતા ને ચૂંટવા હાકલ કરી હતી.
સભામાં સીરામીક ઉદ્યોગકારોની પીડાને પણ વાચા આપી હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ઉદ્યોગપતિઓ આપણી સાથે જ છે પણ જો એ ખુલીને આપણી સાથે આવે તો ભાજપની સરકાર પ્રદુષણકોલગેસઇનકમટેક્સજીએસટી વગેરે બાબતોમાં હેરાન કરતા હોય ખુલીને ટેકો નથી આપી શકતા.
અંતમાં હાર્દિક પટેલે મોદીની મિમિક્રી કરી કહ્યું હતું કે આપણી એકતા તોડવા અનેક પ્રયાસો થશેમોદી અહીં સભા કરવા આવશે પણ એટલું યાદ રાખજો કે આપણી એકતા તૂટવા દેવાની નથી કાલે કદાચ હું જેલમાં હોવ તો પણ આપણે આ સરકારને ઉખાડી ફેકવાના જે સોગંધ લોખંડી પુરુષના જન્મ દિવસે ખાધા છે એ ભૂલવાનું નથી.