ગાંધીનગમાં SPGની કારોબારીની બેઠક યોજાઈ. આ બેઠક દરમિયાન SPGના અધ્યક્ષ લાલજી પટેલે નિવેદન આપ્યુ છે કેછેલ્લા 22 વર્ષમાં SPGના કોઈ પણ નેતાએ પાર્ટી પાસેથી ટિકિટ માંગી નથી.
કોઈ રાજકીય લાભ મેળવવા માટે કોઈ પ્રયત્ન કર્યો નથી.પરંતુ સમાજના વધુમાં વધુ લોકોને રાજકીય લાભ મળે અને તમામ પક્ષો સમાજને પ્રભુત્વ આપે તે માટે SPG દ્વારા પ્રયત્ન કરવામાં આવશે.