મહેસાણાઃ બહુચરાજી બેઠક ઉપર પાટીદાર અનામત આંદોલન અને ક્ષત્રિય ઠાકોર સેનાના આંદોલનની અસર સૌથી અસરકારક હતું. ત્યારે બહુચરાજી બેઠક પર ભાજપના ઉમેદવાર અને પાટીદારના અગ્રણી રજની પટેલે ઉમેદવારી નોંધાવી છે.
રજની પટેલની સામે કોંગ્રેસમાંથી ભરત ઠાકોરે ઉમેદવારી નોંધાવી છે. આથી બહુચરાજી બેઠક ઉપર પાટીદાર અનામત આંદોલનમાં સૌથી વધુ પ્રભાવિત થયેલા રજની પટેલ અને ક્ષત્રિય ઠાકોર સેનામાંથી દારૂબંધીનું આંદોલન ભરતજી ઠાકોર સાથે કોંગ્રેસના બળવાખોર અપક્ષ ઉમેદવાર કિરીટ પટેલ વચ્ચે ત્રિકોણીયો જંગ ખેલાશે.
ત્યારે ભાજપના ઉમેદવાર રજની પટેલે જણાવ્યું હતું કે પાટીદાર આંદોલનની બિલકુલ અસર નથી તો વળી કોંગ્રેસ ઉમેદવાર અને ક્ષત્રિય-ઠાકોર સેનાના પ્રતિનિધિ ભરતજી ઠાકોરના કહેવા મુજબ દારૂબંધી વધુ કડક બનાવવાનો દાવો કર્યો છે.