અમદાવાદઃ રાજ્યભરમાં રાજકારણ ગરમાયું છે અને ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અમદાવાદમાં પાટીદાર સંસ્થાઓ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. કોંગ્રેસની અનામત જાહેરાતને લઇને પાટીદાર સમાજની 7 સંસ્થાઓ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં આર.પી.પટેલે મહત્વનું નિવેદન આપ્યું હતું. પાટીદાર સમાજની સંસ્થા કોઇ પાર્ટી સાથે જોડાઇ નથી.
આર.પી.પટેલે જણાવ્યું કે આંદોલનકારીઓએ સાથે રહીને સરકાર સાથે વાતચીત કરી. આંદોલનકારીઓએ સમાજને ગુમરાહ કરવાનું કામ કર્યું છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલો ઢંઢેરો યોગ્ય છે કે નહીં તે જાણવાનો પ્રયત્ન કરીશ. અમે SCના વકિલ પાસે લેખિતમાં અભિપ્રાય માંગ્યો છે.
આર્ટીકલ 31-સી ની કલમ મુજબ કોંગ્રેસ અનામત આપવાની વાત કરે છે. આ બંધારણની જોગવાઈ મુજબ અનામત મળે નહીં તેમ સિનિયર વકિલોએ અભિપ્રાય આપ્યો છે. સમાજના નામે આંદોલનકારીઓ ઉલટસુલટ નિવેદનો કરીને ગુમરાહ કરે છે. પાટીદારોની 350 થી વધારે સંસ્થાઓ કામ કરી રહી છે. જે એજ્યુકેશનથી લઈને અનેક સેવાઓ લક્ષી કામો કરી રહી છે.