પાટણ: અનામત અંગેની માંગ ન સંતોષાતા રોષે ભરાયેલા પાટીદારોએ ભાજપ સામે પોસ્ટર વોર શરૂ કરી છે. નાગારલીંબડી બાદ હવે પાટણમાં પણ પાટીદારોએ ભાજપ સામે પોસ્ટર લગાવ્યા છે.
પાટણના ઉંચીશેરી અને ગુર્જરવાડામાં આ પાસ્ટરો લગાડવામાં આવ્યા છે અને ભાજપ સામે 144ની કલમ લાગુ કરાઇ પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે વિવિધ પક્ષ દ્વારા મતદારોને રીઝવવામના ખાસ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતના પાટણના ઉંચીશેરી અને ગુર્જરવાડા ખાતે લોકોએ ભાજપના કોઇપણ કાર્યકર્તાને પ્રવેશ ના કરવામાંટે પોસ્ટરો લગાવ્યા હતા.