મહેસાણાઃ ચૂંટણીના માહોલ વચ્ચે પાટીદાર અનામત આંદોલનમાં થયેલા ઈજાગ્રસ્ત મહેસાણાના પ્રતિક પટેલે પાટીદાર અનામત આંદોલનકારીઓને સૌથી મોટો ઝટકો આપ્યો છે. પ્રતિક પટેલે નિવેદન આપ્યું છે કે ગુજરાતમાં ભાજપ સરકાર બને તેવી ઇચ્છા વ્યકત કરી હતી.
એવું પણ જણાવ્યું છે કે ભાજપે મને મદદ કરી છે કોંગ્રેસ હજુ એની મદદે આવી નથી. એટલે ભાજપ સરકારનો આભાર પણ વ્યકત કર્યો હતો. મહેસાણામાં થયેલા પાટીદાર આંદોલનના ગોળીબારમાં પ્રતિક પટેલ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
સહાય માટે પાટીદારોની સંસ્થાઓના અગ્રણીઓ પૈકી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આર પી પટેલ સીદસર ઉમિયા માતાજી મંદિરના ટ્રસ્ટી જયરામબાપા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના દીપક પટેલ સરદાર કલ્પરથના હરેશ પટેલે મહેસાણામાં પ્રતિક પટેલની મુલાકાત લીધી હતી. અને પ્રતિક પટેલને રૂ.10 લાખની સહાયનો ચેક અર્પણ કર્યો હતો.