સુરતમાં અશ્વિન સાંકડાસરિયા પર હુમલો થયો છે. સુરતમાં આવેલ વરાછાના હિરાબાગ પાસે અશ્વિન સાંકડાસરિયા પર હુમલો થયો. હુમલો થતા અશ્વિનની ગાડીના કાચ તુટયા છે.
આ હુમલા બાદ અશ્વિને PAAS પર આક્ષેપો કર્યા છે અને કહ્યુ કે હુમલો કરનાર વ્યક્તિઓએ PAASની ટી શર્ટ પહેરી હતી. ત્યારે હવે આ મામલે અશ્વિન સહિતના લોકો વરાછા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પહોંચ્યાં છે.
મહત્વનુ છે કે અશ્વિન સાંકડાસરિયા છેલ્લા ઘણા સમયથી PAASના આલોચક રહ્યાં છે.ત્યારે હવે અશ્વિન પર હુમલો થયો છે અને આ હુમલો PAAS દ્વારા કરવામાં આવ્યો તેવા આશ્વિન દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય ગઇકાલે અશ્વિન સાંકડાસરિયાએ સુરતમાં એક પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેણે હાર્દિક પટેલ પર આક્ષેપો કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે હાર્દિક પટેલની સીડી સાચી છે.
હાર્દિક ની સાથે રહેનાર લોકોએ જ સીડી બનાવી છે. વાયરલ થયેલા વીડિયો મેં કરાવ્યા નથી. સીડી ખોટી હોઈ તો હાર્દિક સાબિત કરી બતાવે.