જિજ્ઞેશ મેવાણી સહિતના દલિત આગેવાનોની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે.ત્યારે આ સમગ્ર મામલે આત્મવિલોપન કરનાર ભાનુભાઈના પત્ની ઈન્દુબેન વણકરનું નિવેદન સામે આવ્યું છે.ઈન્દુબેને ચિમકી આપી છે કે જ્યાં સુધી જિજ્ઞેશ મેવાણીને પોલીસ દ્વારા મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાના પતિનો મૃતદેહનો સ્વીકાર કરશે નહીં તેવી વાત મૃતકના પત્ની દ્વારા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ભાનુભાઈ વણકરના નિધન બાદ રાજ્યમાં સ્થિતિ તણાવયુકત થઈ છે ત્યારે આજે દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ અમદાવાદ-ગાંધીનગર બંધનું એલાન આપ્યુ હતું.ત્યારે મેવાણીની સરસપુર પોલીસે અટકાયત કરી હતી.અમદાવાદમાં જિજ્ઞેશ મેવાણી અને અન્ય દલિત કાર્યકર્તાઓની અટકાયત બાદ મામલો વધુ વણસ્યો છે.
જો કે રાજ્ય સરકારની જાહેરાત બાદ પણ હજુ સુધી ભાનુભાઈના પરિવારજનો માન્યા નથી.પરિવારજનોની માગ છે કે સરકાર લેખિતમાં બાંહેધરી આપે.અને મેવાણી સહિતના કાર્યકરોને મુકત કરવામાં આવે.ભાનુભાઈના મૃતદેહ બાદમાં જ સ્વીકારવા પરિવાર અડગ છે.ત્યારે સરકાર સવારથી જ બેઠકો કરી રહી છે પરંતુ હજુ સુધી કોઈ ખાસ નિર્ણય પર આવી નથી.