અલ્પેશ ઠાકોર આજે પાટણમાં જનાદેશ સંમેલન યોજવા જઈ રહ્યો છે. જનાદેશ સંમેલન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કેઅમે ગુજરાતના વિકાસનું સપનું લઈને નીકળ્યા છીએ. મારી કોઈ રાજકીય મહત્વકાંક્ષા નથી અમે એવી સરકાર બનાવવા માગીએ છીએ જે ગરીબોની હોય.
અલ્પેશ ઠાકોરે દાવો કર્યો હતો કેપાટણના જનાદેશ સંમેલનમાં 50000થી વધુ લોકો હાજર રહેશે. ત્યારબાદ આગામી 9 ઓક્ટોબરે ગાંધીનગર ખાતે જનાદેશ મહાસંમેલન યોજાશે તેમ અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું. અલ્પેશ ઠાકોરે શંકરશસહ વાઘેલાના જન વિકલ્પ મોરચા પર પણ શાબ્દિક પ્રહારો કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાન સભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતના દરેક પક્ષ હરકતમાં આવી ગયા છે અને અલગ-અલગ રીતે મતદારોને રીઝવવાના ખાસ પ્રયાસો કરી રહ્યા છે. દરેક જ્ઞાતિના લોકોને ખુશ કરી પોતાના ઉમેદવારને મત આપે અને પોતાની સરકાર બને તેવો ખાસ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે ઠાકોર સમાજના અગ્રણી અલ્પેશ ઠાકોર પણ એક સભાને સંબોધન કરવાના છે.