મહેસાણા: મહેસાણામાં PAAS કન્વીનર પર હુમલો કરાયો છે. નુગર ગામ પાસેનો આ બનાવ છે. જયાં 25 લોકોના ટોળાએ પાસ કન્વીનર સુરેશ ઠાકરે અને સતિષ પટેલ પર હુમલો કર્યો છે. ઇજાગ્રસ્ત કન્વીનરોને હોસ્પિટલ ખસેડાયા છે.
બંને પાસ કન્વીનર બાલોલમાં સભા પુરી કરીને પરત ફરતા હતા તે સમયે તેમના પર હુમલો કરાયો છે. ભોગ બનેલા સતીષ પટેલએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું છે કે પાટીદાર સમાજને દબાવવા હુમલો કરાયો છે.