ગાંધીનગરઃ ભાજપે સરકાર બનાવ્યા બાદથી મંત્રીઓ અને ધારાસભ્યોએ ખાતાને લઇ નારાજગી દર્શાવી હતી. જેમાં પુરષોત્તમ સોલંકીએ પણ સારા ખાતાની માગણી કરી હતી. ત્યારબાદ ભુપેન્દ્રસિંહ દ્વારા સોલંકીને મનાવી લેવાયા હતા. ત્યારબાદ મંગળવારે મત્સ્ય ઉદ્યોગ મંત્રી સોલંકીએ પુરષોત્તમ સોલંકીએ MLA પદના શપથ લીધા ન હતા.
જેને લઇ અનેક વિડંબણાઓ સર્જાઇ હતી. અને સરકાર સામે ખાતાની સોંપણીને લઇ નારાજગી યથાવત્ હોવાનું મનાઇ રહ્યું હતું. અગાઉ 6 ધારાસભ્યોના શપથ ગ્રહણ કરવાના બાકી હતા જેમાં 5 ધારાસભ્યોએ મંગળવારે શપથ લીધા હતા. માત્ર પુરષોત્તમ સોલંકીના MLA પદના શપથ બાકી હતા.
પુરૂષોત્તમ સોલંકીના શપથ લેવાના સસ્પેન્સનો અંત આવી ગયો છે. પુરૂષોત્તમ સોલંકી આજે MLA પદના શપથ લેશે. ગઇ કાલે તેઓ એક લગ્ન પ્રસંગમાં હોવાથી શપથ લઇ શકયા ન હતા. તેથી વાત એવી ચર્ચાતી હતી કે તેઓ નારાજ છે અને શપથગ્રહણ વિધીથી દુર રહ્યા છે. પરંતુ તમામ અટકળોનો અંત આવી ગયો છે. તેઓ આજે MLA પદના શપથ લેશે.