જામનગરઃ જામનગરમાં શહેરમાં રોગચાળાએ હાહાકાર મચાવી દીધો છે. સતત વધતી જતી બિમારીએ આરોગ્ય તંત્રની ઊંઘ હરામ કરી નાખી છે. છેલ્લા ઘણા સમયથી સ્વાઇન ફલૂ ડેન્ગયૂ ચીકનગુનીયાના રોગોથી સરકારી અને ખાનગી હોસ્પિટલો ઉભરાઇ રહી છે. ડેન્ગયૂના રોગે ભરડો લેતાં એક અઠવાડિયામાં જી.જી.હોસ્પિટલમાં દર્દીઓના પ્રમાણમાં વધારો થયો હતો. જી.જી.હોસ્પિટલમાં ડેન્ગ્યૂના 37 દર્દીઓમાંથી 12 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
રોગચાળાને નાબૂદ કરવા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર તબીબી ચકાસણી. મચ્છરોના ઉપદ્વવને રોકવા ફોગીંગ સહિતની કામગીરી હાથ ધરાઇ હતી. રોગચાળાને નાથવાના ઉપાયો સહિતની જાણકારી આપવાની પણ કામગીરી હાથ ધરાઇ છે.