શું તમે તમારા આધારકાર્ડને પાનકાર્ડ સાથે લીંક કરાવ્યું ( પરમેનન્ટ એકાઉન્ટ નંબર? ) તમને ખબર છે? 2017-18 આઈટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. ઈન્કમટેક્ષ વિભાગે તમામ કરદાતાને ITR જમા કરાવવા માટે પાનકાર્ડનો હવાલો આપવા કહ્યું છે. આ વર્ષથી નવા પાનકાર્ડ કરાવવા માટે આધારકાર્ડને ફરજીયાત કરવામાં આવ્યું છે. ઈન્કમટેક્ષ વિભાગના ઈ-ફાઈલીંગ અનુસાર incometaxindiaefiling.gov.in 1 જુલાઈ બાદ જો તમે IT રિટર્ન ફાઈલ કરો છો તો તમારે આધારકાર્ડને પાનકાર્ડ સાથે લીંક કરવું જરૂરી છે.
માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટર પર ઈન્કમટેક્ષ વિભાગની પોસ્ટમાં આગ્રહ કરવામાં આવ્યો છે કે તેમણે ગયા વર્ષે કરાવામાં આવેલ ચોક્કસ રોકડ થાપણોની વિગતો જાહેર કરવા માટે કરદાતાઓને વિનંતી છે.
'એક સામાન્ય નાગરિક ન બનો. એક દેશ બનાવો. આગળ આવો અને વર્ષ 2016-17 માટે 31 જુલાઈ 2017 પહેલા પોતાનું આઈટી રિટર્ન ફાઈલ કરો. યાદ રાખો કે ITR 9-11-2016 થી 30-12-2016 માં સુધીમાં બેંક ખાતામાં જમા કરાવેલ રૂ. 2 લાખથી વધારે રકમની જાણકારી આપવી જરૂરી છે.
Demonetisation રૂપિયા 500-1000ની નોટબંધી 8 નવેમ્બરે જાહેર કરાવામાં આવી હતી. ત્યારબાદ બેંકમાં જમા કરાવેલ નોટોની જાણકારી બેંકો દ્વારા IT વિભાગને મોકલવામાં આવી છે જેથી 9 નવેમ્બર 2016 થી 30 ડિસેમ્બર 2016 સુધીના ITRમાં રૂ. 2 લાખ ઉપરની તમામ જાણકારી આપવી જરૂરી છે.
ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા કેટલાક મહિનાથી ઘણા પ્લેટફોર્મનો ઉપયોગ કરી લોકો સહેલાઈથી પાનકાર્ડ સાથે આધારકાર્ડને લિંક કરી શકે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આ સિવાય જાણકારી આપી છે કે ઈઈટી રિટર્ન ફાઈલ કરવાનું કોના માટે જરૂરી છે.
આ માહિતી આવકવેરા વિભાગના કબજામાં આવેલી માહિતી સાથે મેળવવામાં આવશે તે અગાઉ જણાવ્યું છે.
મહત્વની વાત એ છે કે આઈટી રિટર્ન ફાઈલ કરવા માટે આધારકાર્ડ જરૂરી તો ચે જ પરંતુ નવું પાન કાર્ડ બનાવવા માટે પણ આધારકાર્ડ હવે જરૂરી છે. આધાર બાયોમેટ્રિક્સ પર આધારિત 12-આંકડાની આઈડેન્ટિટી નંબર ઘણી રીતોથી પાનકાર્ડ સાથે ટેક્સ રિટર્ન માટેના 10 અંકની આલ્ફાન્યુમેરિક આઈડી નંબર સાથે જોડાયેલી હોઈ શકે છે આવકવેરા વિભાગે સમય સમયે ઘણા સંચાર માધ્યમો દ્વારા કરદાતાઓને પાનકાર્ડ સાથે આદારકાર્ડને લિંક કરવાનું કહેવામાં આવ્યું છે.
આધારકાર્ડને તમારા પાનકાર્ડ સાથે કેવી રીતે લિંક કરશો
તમામ નિર્દેશોનું પાલન કરી માંગવામાં આવેલ વિગતો ભરો વિનંતી OTPનું ઓપ્શન રાખો
ફોર્મના નીચે દર્શાવવામાં આવેલ 'લિંક આધાર' પર ક્લિક કરો
તમારો આધારકાર્ડ નંબર અને નામ જણાવો (જે નામ આધારકાર્ડમાં હોય તેજ દર્શાવવું જરૂરી છે) અને સબમીટ કરો.
રજીસ્ટર્ડ વપરાશકર્તાઓ માટો
એકવાર તમે ઈ-ફાઈલિંગમાં લોગીન તઈ જાઓ છો તો પ્રોફાઈલ સેટિંગ દ્વારા 'લિંક આધાર' વિકલ્પ શોધો
જો તમારૂ આધારકાર્ડ પહેલાથી પાનકાર્ડ સાથે લિંક છે તો 'લિંક આધાર' પર એક મેસેજ દેખાશે
ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા પહેલાથી જ કરદાતાઓને SMS મોકલી આદારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરાવવાનું કહેવામાં આવ્યું છે. SMSમાં લખવામાં આવ્યું છે કે 1 જુલાઈ 2017થી આઈટી રિટર્ન ફાઈલ કરવા માટે પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવું જરૂરી છે. PLEASE www.incometaxindiaefiling.gov.in પર જઈ તમારો આધારકાર્ડ નંબર પાનકાર્ડ સાથે લિંક કરો.