નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેદ્ર મોદી ફેબ્રુઆરીમાં પેલેસ્ટાઇનની મુલાકાત કરવાના છે. વિદેશ મંત્રાલયના અધિકારીઓ તેની તૈયારીમાં લાગ્યા છે. આ મુલાકાત પહેલા પાકિસ્તાનમાં પેલેસ્ટાઇનના રાજદૂત વલીદ અબુ અલીએ હાફિ{ સઇદ સાથે એક મંચ પર ઉપસ્થિત રહેલા વિવાદ ઊભો થયો છે.
ભારતના કડક વિરોધ બાદ પેલેસ્ટાઇનને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે તરત જ પોતાના રાજદૂતને પાકિસ્તાનથી પાછા બોલાવવાનો નિર્ણય કર્યો હતો. સાથે જ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીની મુલાકાત પહેલા પેલેસ્ટાઇન ભારતની નારાજગીનો સામનો નથી કરી શકતું અને સાથે જ તેને ડર છે કે રાજદૂતની હાફિઝની મુલાકાત બાદ પીએમ મોદી પેલેસ્ટાઇનની મુલાકાત રદ ના કરી દે.
ભારતનો સૌથી મોટો દુશ્મન હાફિઝ સઇદથી પેલેસ્ટાઇનની રાજદૂતનું સ્ટેજ શેર કરવાને લઇને જોરદાર ગુસ્સામાં છે. જો પીએમ મોદીની આગળની મુલાકાત ટળે છે તો એ પેલેસ્ટાઇન માટે મોટો ઝટકો હશે. એનું કારણ એ છે કે હાલમાં જ પીએમ મોદી ઇઝરાયલની મુલાકાત કરી હતી પરંતુ પેલેસ્ટાઇન ગયા નહતા.