પાલનપુરમાં એસ.ટી. બસચાલક અને કંડકટર નશાની હાલતમાં ઝડપાયા હતાં. અંબાજી-રાજકોટ રૂટના બસચાલક અને કંડકટર નશાની હાલતમાં ઝડપાયા હતાં. બસચાલક અને કંડકટર નશામાં જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
મુસાફરોએ જાણ કરતા પાલનપુર પશ્ચિમ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. પોલીસે બસચાલક અને કંડટર વિરૂદ્ધ તપાસ હાથધરી હતી.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂબંધી છે તેમછતાં ગુજરાતમાં દારૂની રેલમછેલ થયેલી ગુજરાતમાં ત્યારે સરકારના કર્મચારીઓ જ નશો કરેલી હાલતમાં જોવા મળે તે શર્મજનક ઘટના કહેવાય.આવી જ એક ઘટના પાલનપુર ખાતે બની હતી.
જેમાં અંબાજીથી રાજકોટ તરફ જતી એક સરકારી S.T બસના ચાલકે નશો કરેલ હોવાનું માલૂમ પડતા મુસાફરનોના જીવ પડીકે બંધાયા હતા.
જો કે સમયસુચકતા વાપરીને મુસાફરોએ પાલનપુર પોલીસ મથકો જાણ કરતા બસને અટકાવવામાં આવી હતી અને તપાસ કરતા ચાલક અને કંડક્ટર નશાની હાલતમાં ઝડપાતા પાલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.