ઇસ્લામાબાદ: પાકિસ્તાન જાસૂસે પોતાની એજન્સીની પોલ ખોલી દીધી છે. કોર્ટમાં દાખલ એક અરજીમાં મલિક મુખ્તાર અહમદ શહજાદે કહ્યું કે પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓ આતંકવાદીઓની સુરક્ષા કરે છે.
મલિક મુખ્તાર પાકિસ્તાનની ઇન્ટેલીજેન્સ બ્યૂરોમાં આસિસ્ટેન્ટ સબ ઇન્સ્પેક્ટર છે. એમને પોતાના સિનીયર અધિકારીઓ પર આતંકવાદીઓ વિરુદ્ધ એક્શન ના લેવાનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાના સૂત્રો જણાવ્યા અનુસાર મલિકે ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે કે આ સમસ્યાને આઇએસઆઇને રેફર કરવામાં આવે.
ઇસ્લામાબાદ રજિસ્ટ્રાર ઓફિસએ આ બાબતે જસ્ટિસ આમેર ફારૂકને આપી ત્યારબાદ આ કેસ ચીફ જસ્ટિસ મોહમ્મદ અનવર ખાન કાસીને મોકલી દેવામાં આવી. એમણે કહ્યું કે આ બાબતે જસ્ટિસ શોકત અજીજ સિદ્દીકીને મોકલી શકાય છે કારણ કે એ આ પ્રકારની સમસ્યા જોઇ રહ્યા છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે પૂરતાં પુરાવા છતાં આઇબી તરફથી આ બાબતે કોઇ પગલું ભરવામાં આવ્યું નથી. એમને આરોપ લગાવ્યો છે કે પંજાબ આઇબીનો પુત્ર કથિત રીતે આતંકી ગ્રુપની સાથે સંબંધ છે.