આતંકવાદને આશરો આપવાના આરોપોની અવગણના કરનાર પાકિસ્તાન એક વખત ફરીથી આતંકી હાફિઝ સઇદને સાર્વજનિક રીતે સમર્થન કરી રહ્યું છે. પ્રધાનમંત્રી શાહીદ ખાકન અબ્બાસીએ પાકિસ્તાનની એક ચેનલ દ્વારા કહ્યું છે કે પાકિસ્તાનમાં હાફિઝ સઇદની વિરુદ્ધ કોઇ કેસ નથી.
પાકિસ્તાન તરફથી નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાએ આતંકવાજને સપોર્ટ કરવાના કારણે એની વિરુદ્ધ ગંભીર પગલું ભરતાં સૈન્ય અને આર્થિક બંને મદદ પર રોક લગાવી દીધી છે. અબ્બાસીએ કહ્યું કે સઇદ સાહેબ વિરુદ્ધ ત્યારે કાર્યવાહી કરવામાં આવે જ્યારે એમની વિરુદ્ધ વ્યક્તિગત તરીકે કોઇ બાબત હોય.
ભારત પાકિસ્તાન પર આતંકવાદને આશરો આપવાનો આરોપ લગાવતો રહ્યો છે. એવામાં પાક પીએમ તરફથી આવેલું નિવેદન બંને દેશોના સંબંધો વચ્ચે ખટાશ લાવી શકે છે. હકીકત ભારત આતંકી સંગઠન જમાત ઉદ દાવાના સરગના હાફિઝ સઇદને મુંબઇ આતંકી હુમલા માટે જવાબદાક માને છે. ભારત તરફથી પાકિસ્તાનને એના વિરુદ્ધ પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા.