પાક રક્ષામંત્રી મંત્રી ખુર્રમ દસ્તગીર ખાને ભારતને ચેતવણી આપતાં કહ્યું છે કે પાકિસ્તાન કોઇ પણ મામલે ભારતને કડક ટક્કર આપવા માટે તૈયાર છે. ખાને કહ્યું કે ભારતીયની આક્રમકતા રણનીતિક ગડબડી અને અન્ય કોઇ વાતની ચિંતા વગર અમે ભારતને દરેક ભાષામાં જવાબ આપવામાં સક્ષમ છીએ.
ખુર્રમ દસ્તગીરે મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે અમે પાકિસ્તાનનું મજબૂત સમર્થન કરીએ છીએ. ભારત સતત પાકિસ્તાનને દોષિત માની રહ્યો છે. એમને કહ્યું કે પાકિસ્તાનને દોષિત ગણાવવાની જગ્યાએ ભારતે જાતે જ વિચારવું જોઇએ. ભારતને જાસૂસ કુલભૂષણ પર જોરદાર જવાબ આપવો જોઇએ. જ્યારે કુલભૂષણ જાધવની જાસૂસીના પુરાવા દુનિયાની સામે છે.
એમને કહ્યું કે 11 વર્ષ પહેલા સમજોતા એક્સપ્રેસ પર આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં 42 પાકિસ્તાની લોકો માર્યા ગયા હતા. ભારત એમને ન્યાય આપવામાં નિષ્ફળ રહ્યું છે.