યુનાઇટેડ અરબ અમિરાત સાથે ભારતના સારા સંબંધોથી પાકિસ્તાનને ઇર્ષ્યા થઈ આવી છે. અને એટલે જ પાકિસ્તાને ભારતની વિદેશ નીતિની રાહે પોતાની વિદેશનીતિમાં પણ ફેરફાર કર્યો છે. દ્વિપક્ષીય સુરક્ષા સહકાર અંતર્ગત પાકિસ્તાને તેના સૈનિકોને યુએઈ મોકલી રહ્યું છે.
રાવલપિંડીમાં પાકિસ્તાની સેના પ્રમુખ નજરલ કમર જાદેવ બાજવા અને સાઉદી અરબના રાજપૂત નવાફ સઈદ વચ્ચે એક મહત્વની બેઠક મળી હતી. જે બાદ આ નિર્ણય લેવાયો છે.પાકિસ્તાનના સૈન્ય વડાએ આ અંગેની જાહેરાત કરતા કહ્યું કે પાકિસ્તાન સેનાનું એક દળ તાલિમ માટે સાઉદી અરબ જશે.
આ સૈનિકો તેમજ પહેલાથી હાજર સૈનિકોને યુએઈમાં જ રાખવામાં આવશે. ખબર છે કે સાઉદી અરબમાં પાકિસ્તાનના એક હજાર જેટલા સૈનિકો તૈનાત છે. આ પૂર્વે 2015માં સાઉદી અરબે પાકિસ્તાનને સૈનિકો મોકલવા માટે દબાણ કર્યું હતું.
જોકે પાકિસ્તાને સાઉદી અરબની આ માગને કાને ધરી ન હતી. પરંતુ હવે જ્યારે ભારતે ખાડી દેશો સાથેની મૈત્રીને મજબૂત કરવાની દિશામાં પહેલ કરી છે ત્યારે પાકિસ્તાન પણ સાઉદી અરબ ઇરાન તુર્કી કતાર અને મિડલ ઇસ્ટના દેશો સાથે સંબંધ સુધારવાની કવાયત કરી રહ્યું છે.