લાહોર : લશ્કર ચીફ હાફિઝ સઇદની મુશ્કેલી વધતી જઇ રહી છે. લાહોર હાઇકોર્ટે હાફીઝની નજરબંદી 30 દિવસ માટે વધારી દીધી છે. કોર્ટે આ નિર્ણય પંજાબ સરકારની અપીલ બાદ લીધો છે. 24 ઓક્ટોબરે નજરબંધીની અવધી પુરી થઇ ચુકી છે. પંજાબ સરકારે બે દિવસ પહેલા આતંકવાદ વિરોધી કાયદા હેઠળ નજર બંધી વધારવા માટેનું પોતાનું આવેદન પાછુ ખેંચી લીધું છે. જમાત ઉદ દાવા પ્રમુખ અને મુંબઇ હૂમલાનાં માસ્ટર માઇન્ડ સઇદ જનવરીથી પોતાનાં ઘરમાં નજરબંધ છે.
હાફિઝ સઇદને આકરી સુરક્ષા વચ્ચે ત્રણ સભ્યોની પ્રાંતીય ન્યાયિક સમીક્ષા બોર્ડની સામે રજુ કરવામાં આવ્યું. પંજાબ ન્યાયીક સમીક્ષા બોર્ડનાં સભ્યોમાં ન્યાયમૂર્તિ યાવર અલી ન્યાયમુર્તિ અબ્દુલ સામી અને ન્યાયમુર્તિ આલિયા નીલમનો સમાવેશ થાય છે. બોર્ડ સઇદ અને તેનાં ચાર સહયોગીઓ અબદુલ્લા ઉવૈદ માલિક જફર ઇકબા અબ્દુલ રહેમાન આબિદ અને કાઝી કાશીફ હુસૈનની નજર બંધી વધારવા માટે પંજાબ ગૃહવિભાગનાં એક કાયદાનાં અધિકારોની દલીલો સાંભળી રહ્યા હતા.
24 ઓક્ટોબરે નજરબંધીનો સમય પુરો થઇ રહ્યો છે. કાયદા હેઠળ સરકાર કોઇ વ્યક્તિને અલગ અલગ આરોપોનાં મુદ્દે ત્રણ મહિના સુધી કસ્ટડીમાં રાખી શકે છે. સરકાર ન્યાયિક સમીક્ષા બોર્ડની મંજુરી બાદ જ કસ્ટડી વધી શકે છે. લાહોર પોલીસને લાહોર હાઇકોર્ટની આસપાસ આકરી સુરક્ષા ઉપાય કર્યા છે જ્યાં સઇદ અને અન્ય બોર્ડની સામે રજુ થયા.