નવી દિલ્હીઃ કાશ્મીર મામલે યૂએનમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસી પર ભારતે પલટવાર કર્યો છે. ભારતે જવાબ આપવાના પોતાના અધિકારનો ઉપયોગ કરી પાકિસ્તાનને ઉઘાડું પાડ્યું હતું. પાકિસ્તાનને ટેરરિસ્તાન કરાર આપ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય એનમ ગંભીરે આ 10 ખુલાસાઓ પાકિસ્તાનએ પાકિસ્તાનની હકિકત દુનિયા સામે કરી બતાવી દીધી.
1. પાકિસ્તાન હવે 'ટેરરિસ્તાન' છે. તેઓ આતંકનો પર્યાય બની ચુકી છે. તેઓ એક ફળ્યા-ફૂલ્યા ઉદ્યોગો છે જે વૈશ્વિક આતંકવાદને પૈદા કરે છે અને તેની નિકાસ કરે છે.
2. આ કેટલી અજીબ વાત છે કે જે દેશે ઓસામા બિન લાદેનને રક્ષણ આપ્યું અને મુલ્લા ઉમરને આશ્રય આપી રાખ્યો છે તે દેશ પોતાને પીડિત બતાવી રહ્યો છે.
3. પાકિસ્તાનના તમામ પાડોસી દેશો તેની હકિકતને ભાંગી-તોડી દુષ્ટતાથી અપ્રમાણિકતા અને છેતરપિંડી પર આધારિત વાર્તાઓ તૈયાર કરવાની ચાલથી સારી રીતે પરિચિત અને પરેશાન છે.
4. વૈકલ્પિક સત્યોને તૈયાર કરવાના પ્રયાસોથી વાસ્તવિકતા નથી બદલી શકાતી.
5. પાકિસ્તાન પોતાના નાન્ય ઇતિહાસમાં આતંકવાદનો પર્યાય બની ચૂક્યો છે.
6. વર્તમાન પરિસ્થિતિનો અંદાજો આ તથ્યો પરથી જ લગાવી શકાય છે કે લશ્કર એ તૈયબા જેને સંયુક્ત રાષ્ટ્રને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે તેમના પ્રમુખ હાફિઝ મોહમ્મદ સઇદ હવે રાજકારણમાં ઝંપલાવી નેતા બનવાની તૈયારી કરી રહ્યા છે.
7. આમાંથી કેટલાક પાકિસ્તાનની જમ્મૂ-કાશ્મીર રાજ્ય પર લાલચવાળી નજર નાખવાના પ્રયાસોને સાચા સાબિત નથી કરી શકતું. જમ્મૂ-કાશ્મીર હંમેશા ભારતનું અભિન્ન અંગ હતું અને રહેશે. પાકિસ્તાન ગમે એટલો સરહદ પાર આતંકવાદી વધારે પરંતુ તેઓ ભારતની પ્રાદેશિક અખંડિતતાને ક્યારેય ઓછી નહીં કરી શકે.
8. ટેરરિસ્તાન એક એવું ક્ષેત્ર છે જ્યાં આતંકવાદીનું વૈશ્વિકરણમાં યોગદાનની તુલના જ ન થઇ શકે.
9. પાકિસ્તાનને માત્ર આ સમજાવી શકાય કે તેઓ દુનિયાનો સર્વનાશ કરવાનો વિચાર ત્યાગ કરી દે કારણ કે તેના કારણે આખી દુનિયાને તકલિફો વેઠવી પડે છે.
10. જો તેને સમજાવી શકાય કે જો તે સભ્યતા વ્યવસ્થા અને શાંતિ પ્રતિ પ્રતિબદ્ધતા દર્શાવશે ત્યારે જ તેમને શેર રૂચિથી જોડાયેલ રાષ્ટ્રોના સંઘમાં સ્વીકાર્યતા મળી શકે છે.