નવી દિલ્હી: પાકિસ્તાનના વિદેશમંત્રી ખ્વાજા આસિફે ભારતના વિદેશમંત્રી સુષમા સ્વરાજને એક પત્ર લખ્યો છે. તેમાં ભારત પર LOC અને આંતરરાષ્ટ્રીય સીમા પર સીઝફાયરનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે અને સાથે જ તેને બંધ કરવા કહ્યું છે.
આ પત્ર નવેમ્બરે સુષમા સ્વરાજને મળ્યો હતો. આસિફે પત્રમાં લખ્યું કે હવે સમય આવી ચુક્યો છે કે બન્ને દેશો સીઝફાયરનું ઉલ્લંઘન કરવાનું બંધ કરે. કારણ કે આમાં મોટી સંખ્યામાં નિર્દોષ નાગરિકોના જીવ જઇ રહ્યા છે.
આસિફે પોતાના પત્રમાં આરોપ લગાવ્યો છે કે ભારતીય જવાનો ફાયરિંગ કરીને પહેલા ઉશ્કેરણી કરે છે. જેનો જવાબ પાકિસ્તાની સેના આપે છે. સુષમા સ્વરાજે ખવાજા આસિફના પત્રનો કોઇ જવાબ આપ્યો નથી. જો કે પાકિસ્તાનના આ આરોપોનો તેમણે સ્વીકાર પણ કર્યો નથી. પાકિસ્તાનનો દાવો છે કે આ વર્ષ ભારતના જવાનોને કથિત રીતે 1300 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે જેમાં એના 52 નાગિરકોનો મોત થયા છે.