UNમાં સુષ્મા સ્વરાજના ભાષણ બાદ ઉશ્કેરાયેલા પાકિસ્તાને કશ્મીરમાં લોકો પર અત્યાચાર થતો હોવાનો આરોપ લગાવ્યો છે.રાઈટ ટુ રિપ્લાઈ હેઠળ જવાબમાં પાકિસ્તાનની આ ઉશ્કેરણી સામે આવી છે. સુષ્મા સ્વરાજના સંબોધન બાદ જવાબમાં પાકિસ્તાને ફરી એકવાર કશ્મીર રાગ અલાવ્યો છે અને આતંકવાદની વાત ન કરી અને ઉલટું કશ્મીરને વિવાદાસ્પદ વિસ્તાર ગણાવ્યો.
પાકિસ્તાને કશ્મીરના ભારતનો ભાગ માનવાથી ઈનકાર કરી દીધો. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની પ્રતિનિધિ મલીહા લોધીએ કહ્યું કે ભારતીય સરકાર પાકિસ્તાન સાથે દુશ્મનીનો ભાવ રાખે છે. મલીહા લોધીએ વધુમાં કહ્યું કે ભારતીય સેના કશ્મીરમાં લોકો પર અત્યાચાર ગુજારી રહી છે. માસૂમ લોકો પર પેલેટ ગનથી ગોળીઓ વરસાવી રહી છે. સંયુક્ત રાષ્ટ્રને કશ્મીર મુદ્દે દખલ દેવી જોઈએ અને જમ્મૂ-કશ્મીરમાં જનમત સંગ્ર થવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે યુ.એન ખાતે યોજાયેલા પોતાના વક્તવ્યમાં પાકિસ્તાનને આડે હાથે લીધુ હતુ. ત્યારે આજે ઉલ્ટા ચોર કોટવાલ કો દાંટે તેવી ઘટના બની હતી અને પાક.ના પ્રતિનીધીએ ભારત પર કેટલાક આરોપ લગાવ્યા હતાં