ગુજરાતઃ દિલ્હીમાં કરણી સેનાનાં કાર્યકરોની અટકાયતનાં પડઘા છેક ગુજરાતમાં પણ પડયાં છે. મળતી માહિતી મુજબ કરણી સેનાનાં કાર્યકરોની અટકાયત કરતા હિંમતનગર હાઈ-વે પર કરણી સેનાનાં કાર્યકરોએ ટાયરો સળગાવી વિરોધ કર્યો હતો અને અટકાયત કરેલા કાર્યકરોને છોડવાની પણ તેઓ દ્વારા માગ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ફિલ્મ 'પદ્માવત' છેલ્લાં કેટલાંય સમયથી સતત વિવાદમાં છે. ત્યારે આ ફિલ્મને લઇ એક બાદ એક રાજ્યોમાં તેનો વિવાદ વધતો જોવાં મળી રહ્યો છે. ત્યારે મહત્વની વાત તો એ છે કે તારીખ 25 જાન્યુઆરીનાં રોજ આ ફિલ્મ રિલીઝ થવાની હતી પરંતુ હવે રાજસ્થાન બાદ ગુજરાત રાજ્યમાં આ ફિલ્મ રિલીઝ થશે નહીં. આ ફિલ્મ પર ગુજરાતમાં પણ ભારે વિવાદ સર્જાતો જોવાં મળી રહ્યો છે.
મહત્વનું છે કે દિલ્હીમાં ફિલ્મ "પદ્માવત"ને લઇ કરણી સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે તેઓની અટકાયત કરાતા તેની અસર છેક ગુજરાત સુધી થઇ છે. આ અટકાયતને લઇ ગુજરાતમાં પણ હિંમતનગર હાઇ-વે પર ટાયરો સળગાવીને તેમને છોડવવાની માંગ સાથે વિરોધ કર્યો હતો.
દિલ્હીમાં કરણી સેનાની અટકાયતનો હિંમતનગરમાં વિરોધ
હિંમતનગર કરણી સેનાનાં કાર્યકરોએ રસ્તા પર સળગાવાયા ટાયર
પોલિટેકનિક ચાર રસ્તા પર ટાયર સળગાવી હાઇ-વે કરાયો બ્લોક