લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ પછી ગુરુવારે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત' રિલીઝ તો થઇ ગઇ છે પરંતુ તેને લઇને ચાલી રહેલો વિરોધ બંધ થવાનું નામ નથી લઇ રહ્યો. આ વચ્ચે ફિલ્મના વિરુદ્ઘમાં પ્રદર્શન કરનાર શ્રીરાજપૂત કરણી સેનાએ ભણસાલી પાસેથી બદલો લેવા માટે એક અલગ જ યોજના બનાવી છે. કરણી સેનાએ 'પદ્માવત' ફિલ્મ બનાવનાર ભણસાલીની માતા પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે.
કરણી સેનાએ જાહેરાત કરી છે કે ભણસાલીની માં પર બનનારી આ ફિલ્મનું નામ 'લીલા કી લાલા' હશે. ચિત્તોડગઢની શ્રી રાજપૂત કરણીસેનાના કલ્વી દળના જિલ્લા અધ્યક્ષ ગોલિંદ સિંહ ખંગરોટે કહ્યું કે ''આ ફિલ્મનું ડિરેક્શન અરવિંદ વ્યાસ કરશે અને તેની સ્ટોરી પર કામ થઇ ગયું છે. આગામી 15 દિવસમાં ફિલ્મનું મૂહુર્ત હશે અને આ ફિલ્મને આ વર્ષે જ રિલીઝ કરવામાં આવશે.''
કરણી સેનાના નેતા અનુસાર ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનમાં કરવામાં આવશે. ગોવિંદ સિંહે આગળ જણાવ્યું કે ''સંજય લીલા ભણસાલીએ મા પદ્મીનીના સન્માનને નુકસાન પહોંચાડ્યું છે તેથી અને પણ ફિલ્મ બનાવી રહ્યાં છીએ. જો કે આ ફિલ્મ એવી હશે જેના પર ભણસાવીને ગર્વ થશે.''
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતાં ફિલ્મ કેટલાક રાજ્યો (મધ્ય પ્રદેશ રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ)માં ફિલ્મને રિલીઝ કરવામાં આવી નથી. આ સિવાય બિહારના કેટલાક થિયેટર્સમાં આ ફિલ્મને રિલીઝ કરવામાં આવી નથી.
કરણી સેનાએ આરોપ લગાવ્યો છે કે ''ફિલ્મમાં ચિત્તોડગઢની રાણી પદ્મિનીના ચરિત્રને ખોટી રીતે બતાવવામાં આવ્યુ છે.'' આ પહેલા ફિલ્મ 'પદ્માવતી'ના નામથી 1 ડિસેમ્બર 2017ના રિલીઝ થવાની હતી પરંતુ નામ બદલીને 'પદ્માવત' ફિલ્મને 25 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવી.