મહેસાણા:પદ્માવત ફિલ્મનો વિરોધ હજી સુધી યથાવત છે.ફિલ્મના વિરોધને પગલે એસ ટી બસોમાં આગ લગાવવામાં આવી રહી છે.જેના ભાગરૂપે તંત્ર દ્વારા બસો બંધ કરવામાં આવી છે.ત્યારે બનાસકાંઠામાં આજે બીજા દિવસે પણ એસ.ટીના રૂટો બંધ રાખવામાં આવ્યા છે.પાલનપુરથી અમદાવાદ જતી બસના રૂટ બંધ કરવામાં આવ્યા છે.જેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉલ્લેખનીય છે જાણીતા ફિલ્મકાર સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ પદ્માવતને લઇને કેટલાય હિંદૂત્વવાદી સંગઠનો તેનો વિરોધ કરી રહ્યા છે અને ઠેર-ઠેર ટાયરો સળગાવી ચક્કાજામ કરી રહ્યા છે.
આ સાથે કેટલાક અસામાજિક તત્વોએ તો સરકારી ST બસોને પણ નિશાને લીધી છે ત્યારે નિગમ દ્વારા ઉત્તર ગુજરાતના કેટલાય રૂટ બંધ કરવાની ફરજ પડી હતી.જો કે આજેપણ ગંભીર માહોલ હોવાને કારણે આજે પણ કેટલાક રૂટ પરની બસો બંધ રાખવાનો નિગમ દ્વાર નિર્ણય લેવામાં આવેલ.
આપને જણાવી દઇએ કે પદ્માવત આગામી તારીખ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની છે તેના પર પ્રતિબંધ આવે તેવી ચીમકી સાથે પદ્માવતનો કરણી સેના અને રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.