જામનગર:આગામી તારીખોમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ રિલીઝ થવાની છે ત્યારે જામનગરમાં પણ પદ્માવત ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો છે.મોડી રાત્રે રાજપૂત સમાજના યુવકો દ્વારા ટાયરો સળગાવીને વિરોધ કરવામાં આવ્યો છે.
ગુલાબનગર વિસ્તારમાં રાજકોટ તરફના રસ્તા પર યુવકોએ ટાયરો સળગાવીને વિરોધ કર્યો છે.આ ઘટના બાદ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડયો હતો.
ઉલ્લેખનીય છે કે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ પદ્માવતને લઇને દેશભરમાં ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યા છે ત્યારે ગત મોડી રાતે જામનગર ખાતે રાજપૂત સમાજના લોકો દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા.
જામનગરથી રાજકોટ તરફ આવતા ગુલાબ નગર વિસ્તારમાં કેટલાક લોકોએ ટાયરો સળગાવીને સંજય લીલાની આગામી ફિલ્મનો વિરોધ કર્યો હતો.
આ ઘટના અંગેની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો.ઉલ્લેખનીય છે કે આગામી 25 જાન્યુઆરીના રોજ દેશમાં આ ફિલ્મ રજૂ થનાર છે ત્યારે કરણી સેના દ્વારા આ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.