મુંબઇ:કરણી સેના સંજય લીલા ભણસાળીની ફિલ્મ પદમાવતનો વિરોધ ચાલુ જ છે.આજે કરણી સેના મુંબઇ સ્થિત સેન્સર બોર્ડની ઓફિસ બહાર પ્રદર્શન અને ઘેરાવ કરવાની હતી.
જો કે વિરોધ પ્રદર્શન પહેલા જ ત્યાં રહેલી પોલીસે તમામની અટકાયત કરી છે.વિરોધ પ્રદર્શન હિંસક ના બને તેનું ધ્યાન રાખીને પહેલા જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે જાણીતા ફિલ્મકાર સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ પદ્માવત ખાસ ચર્ચામાં રહી છે ત્યારે મુંબઇ સ્થિત સેંસર બોર્ડે ફિલ્મને રિલીઝ કરવાની પરવાનગી આપતા જ રાજપૂત કરણી સેનાએ વિરોધ કર્યો હતો. અને ઓફીસનો ઘેરાવ કરવાનો પ્રયાસ કરતા મુંબઇ પોલીસ દ્વારા કરણી સેનાના તમામ પ્રદર્શનકારીઓની અટક કરવામાં આવી હતી.