મહેસાણામાં આજે પાટીદાર સંકલન સમિતિની મહારેલી યોજાનાર છે. ભાજપના સમર્થનમાં પાટીદાર સંકલન સમિતિથી મહારેલી યોજાનાર છે. રાધનપુર રોડ પર બાયપસ સર્કલથી આજે પાટીદાર સંકલન સમિતિ દ્વારા મહારેલી યોજવામાં આવશે. હાલમાં રાજ્યમાં ચૂંટણીના માહોલ ગરમાઈ રહ્યો છે એવામાં પાટીદારો પણ ખુલ્લંખુલ્લા સામે આવી ગયા છે.
જો કે આ રેલીની ખાસિયત એ છે કે પાટીદાર સંકલન સમિતિ દ્વારા આ રેલી ભાજપના સમર્થનમાં યોજવામાં આવી રહી છે. ભાજપના સમર્થનમાં હજારોની સંખ્યામાં આ રેલીમાં પાટીદારો જોડાશે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ચૂંટણી માટે મહેસાણામાંથી ભાજપ દ્વારા નીતિન પટેલને ટિકીટ આપવામાં આવી છે જેઓ એક પાટીદાર છે.
બીજી તરફ PAAS દ્વારા આ રેલીમાં પાટીદારોને ન જોડાવવાની અપીલ પણ કરવામાં આવી છે. ઉપરાંત પાસ દ્વારા ભાજપના સમર્થનમાં નીકળી રહેલી આ રેલીમાં જોડાતા પાટીદારોનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.
રાધનપુર રોડ પર બાયપાસ સર્કલથી ભાજપના સમર્થનમાં પાટીદાર સંકલન સમિતિની રેલી નીકળશે જેમાં હજારોની સંખ્યામાં પાટીદારો જોડાય તેવી શક્યતા તો છે. બીજી તરફ આજે હાર્દિક પટેલે પણ માણસા ખાતે મહારેલીનું આયોજન કર્યું છે. હાર્દિકે માણસા ખાતે સભા રાખી છે જેમાં મોટી સંખ્યામાં પાટીદારોને આવવા માટે હાંકલ કરી છે.
હાર્દિક પટેલને માણસા ખાતે મંજૂરી મળી જતાં હાર્દિકે ટ્વિટ કર્યું છે કે ‘ચાલો માણસા મંજૂરી મળી ગઈ છે. હવે તો જોશ છે તાકાત છે. બતાવી દો તાકાત ગુજરાતની જનતા. અમારા અધિકાર માટે ઈન્કલાબ જિંદાબાદ.’