ગાંધીનગર: પાસના કન્વીનર દિનેશ બાંભણીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં કેટલાક ખુલાસા કરીને હાર્દિક પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
આ પ્રેસ કોન્ફરન્સમાં દિનેશે કહ્યું કે મે મારી જીંદગી સમાજ માટે નક્કી કરી છે. પાસ દ્વારા છેલ્લા ઘણા સમયથી આંદોલન કરવામાં આવે છે આ મામલે દિનેશે કહ્યુ કે હું છેલ્લા 3 વર્ષથી પાસ સાથે જોડાયેલો છું. હવે આ આંદોલન સમાજ માટે નહિ પરંતુ એક વ્યક્તિ માટે કરવામાં આવી રહ્યું છે.
ત્યાર બાદ દિનેશે શહીદોનો ફંડ વિશે હાર્દિક પર પ્રહાર કર્યા હતા અને કહ્યુ કે હાર્દિકે 5 કરોડ રૂપિયાની ગડબડ કરી છે. શહિદ થયેલા લોકોના પરિવારજનોને હાર્દિકને પૈસા આપવા જોઈએ. આ ઉપરાંત દિનેશે હાર્દિકની સીડી બાબતે કહ્યુ કે સેક્સ સીડી બાબતે હાર્દિકને વધુ ખબર છે. જોકે આ સીડી ખોટી છે તે હાર્દિક ફરિયાદ કેમ નથી કરતો.
નોંધનીય છે કે આવતી કાલે ચિંતન શિબિર યોજાવવાનુ છે આ મામલે તેમણે કહ્યુ કે હું રાજકરણમાં પડવા માંગતો નથી અને ચિંતન શિબિરમાં પણ હાજર રહીંશ નહીં.