નવસારી: નસીબની બલિહારી પણ કેવી અજીબ હોય છે. તમામ આશા અને અપેક્ષાઓ છોડીને બેસેલા અનાથ બાળકોની પણ કિસ્મત ચમકાવી દે છે. અનાથ અને સગાવહલાઓથી તરછોડાયેલા અને મુરઝાયેલા ભાઈ અને બહેનની કિસ્મત અમેરિકાના દંપતીએ દત્તક લઈને ખીલવી દીધી છે.
મૂળ ભારતીય અને અમેરિકાના કેલીફોનીયાના વૈજ્ઞાનિક દંપતીને લગ્ન જીવનના 15 વર્ષ બાદ પણ સંતાન ન થતા દત્તક સંતાનની શોધ શરૂ કરી હતી. એડપસન ફોરેન એજન્સીએ ભારતની સેન્ટ્રલ એડપસન ઓથોરીટીના સંપર્કથી નવસારી જીલ્લાના ચીખલી તાલુકાના ખુંધ ગામના ચિલ્ડ્રન હોમમાં એક બાળકની પસંદગી કરી હતી.
માતા અને પિતાના આશીર્વાદથી બાળપણ ખોઇ બેસેલા દુનિયાના દરિયામાં તરઠોડી દિધા હતાં. સાત સમુંદર પારથી સુનીલ અને કિંજલને માતા-પિતા પ્રેમથી લેવા આવ્યા હતી. માતાની મમતા તો એવી હતી કે દત્તક લીધેલ બાળકને દત્તક લેતા હરખના આસું ટપકાવી ભરપુર પ્રેમ દર્શાવ્યો હતો.
જેના ઘરે પારણા બંધાતા નથી તેવા કેટલાક દંપતીઓ ધનાઢ્ય હોવા છતાં એકલા જીવન વિતાવીને પુત્ર-પુત્રીના પ્રેમથી અલિપ્ત રહે છે. કુદરતે પોતાની કુખે સંતાન ન આપ્યું પણ વિશ્વ આખુ કુટુંબ છે અને એમાં રહેલા બાળકો આપના પુત્ર છે. એવી ભાવનાઓ દરેકમાં આવી તો અનાથને આધાર મળશે અને પ્રેમથી વંચિતોને ભરપુર પ્રેમ મળશે.