સુરતમાં પાટીદારો ખાસ કરીને પાસ કાર્યકરો દ્વારા વરાછા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા એક પાટીદારની અટકાયત કરાતાં પાટીદાર યુવકો રોષે ભરાયા હતા અને વરાછા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો.
સુરતમાં પાટીદારો દ્વારા કરાયો વિરોધ
પોલીસ દ્વારા એક પાટીદારની અટકાયત કરાતાં વિરોધ
પાટીદારો દ્વારા વરાછા પોલીસ સ્ટેશનનો કરાયો ઘેરાવો
પોલીસ દ્વારા પાસ કાર્યકરોની અટકાયત
મહિલાઓ અને પુરુષ કાર્યકરોની અટકાયત
પથ્થરમારામાં એક વ્યક્તિ ઘાયલ
કોંગ્રેસના ધીરુ ગજેરાની અટકાયત
અલ્પેશ કથીરિયાની અટકાયત
પહેલા કારંજ ભાજપ કાર્યાલય અને પછી કામરેજ કાર્યાલય પર પાટીદારોના હુમલા બાદ અશાંતિનો શરૂ થયેલો સિલસિલો મોડી રાત સુધી ચાલ્યો હતો. પોલીસ સાથેના પાટીદારોના ઘર્ષણ બાદ પાટીદોરો વધારે ઉશ્કેરાયા હતા.
પરિસ્થિતિ એ હદે વણસી હતી કે વાત પથ્થરમારા સુધી પહોચી હતી જેમાં એક વ્યિ~ત ઘવાયો હતો...પોલીસે પરિસ્થિને કાબુમાં લેવા માટે કાર્યકરોની અટકાયત કરી હતી.
જેમાં કોંગ્રેસના 3 કાર્યકરો ભાવેશ રબારી ધીરુ ગજેરા અને દિનેશ કાછડિયાની અટકાયત કરાઈ હતી. કેટલાક કાર્યકરોએ બસ પર પથ્થરમાર પણ કર્યો હતો. પોલીસે RPFની મદદ લેવાની ફરજ પડી હતી