અમરેલી: ભાજપ સરકાર દવારા શરૂ કરવામાં આવેલ નર્મદા યાત્રાનો સમગ્ર ગુજરાતમાં ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે અમરેલી ખાતે પહોંચેલ નર્મદા યાત્રાના ઉગ્ર રીતે વિરોધ કરવામાં આવ્યો હતો.
રાજ્યમાં ઠેર-ઠેર નર્મદાયાત્રાનો વિરોધ થઇ રહ્યો છે ત્યારે અમરેલીમાં પણ નર્મદાયાત્રાનો વિરોધ કરવામાં આવ્યો. ખાંભાના મોટા સમઢીયાળા ગામે 100 જેટલા લોકોએ વિરોદ કર્યો હતોજેમાં મહિલાઓ પણ સામેલ થઇ હતી. તો લોકો દ્વારા રસ્તા બનાવવા અને નર્મદાનું પાણી આપવાની માંગ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ભારતના વડાપ્રધાન આવતીકાલથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેમના આગમન ટાણે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ નર્મદા યાત્રાનો વિરોધ કરવામાં આવ્યો છે જેના લીધે આવનારા સમયમાં ઘેરા પ્રત્યાઘાત પડી શકે છે તેવી સંભાવના સેવાઇ છે.