નવી દિલ્હી: GST લાગૂ થયાના 60 દિવસ પૂરા થઇ ગયા છે પરંતુ સામાન્ય માણસ સુધી એનો લાભ પહોંચી શક્યો નથી. GST માં સામાન્ય જરૂરીયાતની ઘણી વસ્તુઓના ભાવ ઓછા થયા છે. પરંતુ ગ્રાહતો જૂના ભાવો પર ચીજ ખરીદવામાં મજબૂર છે. એનો સીધો ફાયદો કંપનીઓને થઇ રહ્યો છે. ગ્રાહક મંત્રાલયના આંકડા પ્રમાણે GST લાગૂ થયા બાદ 50 હજારમાંથી માત્ર 15 કંપનીઓએ જ ભાવ ઘટાડ્યા છે. એક વરિષ્ઠ અધિકારી અનુસાર જે 15 કંપનીઓએ GST બાદ પોતાના ઉત્પાદનોને ભાવ ઓછા પણ કર્યા છે. એમાં મોટાભાગના રમતગમતનો સામાન બનાવનાર કંપનીઓ છે.
એમને કહ્યું કે કેટલીક કંપનીઓએ ઉત્પાદનનો ભાવ વધ્યા હોવા છતાં MRP બદલી નથી કારણ કે પહેલી MRP માં ટેક્સ હતો. એટલા માટે કંપનીઓએ નવા ભાવ લખ્યા નથી. GST લાગૂ થયા બાદ 55 ફરીયાદો ગ્રાહક મંત્રાલયને મળી છે જેમાં એમઆરપીથી વધારે ભાવ વસૂલાત કરવાની વાત કરી છે. જણાવી દઇએ તકે ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખતાં GST લાગૂ થયા બાદ ભાવ વધવા અથવા ઘટવાની સ્થિતિમાં વસ્તુઓ પર નવી MRP લખવાની જોગવાઇ કરવામાં આવી હતી. કેમ કે ગ્રાહકોની સાથે દગો થાય નહીં.
ઉત્તર પ્રદેશમાં કોઇ પણ કંપનીએ ભાવ ઘટાડવા અથવા વધવા પર નવી MRP લખી નથી. ઉત્તરાખંડમાં 19 કંપનીઓએ ભાવ વધવા પર ઉત્પાદ પર નવી કિંમત લખી. પરંતુ ભાવ ઘટાડ્યા નહીં. બિહારમાં 13 વધારે કંપનીઓને પોતાના ઉત્પાદન પર વધી MRP લખી.