વડોદરાઃ આવાસ યોજનાના નામે 2 હજાર કરોડના કૌભાંડનું હજૂ ભીનુ પણ નથી ઉકેલાયું. તેવામાં વધુ એક કરોડોની જમીનના કૌભાંડનો ખુલાસો વિપક્ષી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં સરકારી જમીન અને તળાવનું પુરાણ કરી અંદાજીત 6.55 લાખ ચોરસ મીટર જમીનને માથાભારે તત્વોએ પચાવી પાડી છે.
વિપક્ષ પાર્ટીએ સામાન્ય સભાની બેઠકમાં પુરાવા સાથે 163 કરોડના આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જોકે વિપક્ષે આ કૌભાંડનો પર્દાફાશ કરતા તંત્ર અને અધિકારીઓની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
આ પ્રકારે માથાભારે શખ્સોના હાથમાં સરકારી જમીન કેવી રીતે પહોંચી તે પણ એક મોટો પ્રશ્ન છે. ત્યારે જોવું રહ્યું કે આ કૌભાંડ પર કોઈ એક્શન લેવાય છે કે પછી ગુંડાતત્વો સામે તંત્રહાર માની કૌભાંડને દબાવી દે છે.