રાજકોટઃ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની વાત કરીએ તો ગીર સોમનાથ જાફરાબાદ અને પોરબંદરમાં 3 નંબરનું સિગ્નલ અપાયું છે. આ સાથે જ દરિયા કિનારાના વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા માટે સુચના આપવામાં આવી છદરિયા કિનારે સપાટીવાળી હવાને કારણે બંદર પર ભયનો માહોલ સર્જાયો છે.
વેરાવળ બંદર પર આ પહેલા 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું. તો આ તરફ અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લખાવવામાં આવ્યું છે. જાફરાબાદની 19 બોટ હજુ લાપતા છે. આ બોટોનો હજુ સુધી કોઈ પત્તો લાગી શખ્યો નથી. હાલ તંત્ર દ્વારા બોટોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
જયારે પોરબંદરના દરિયાકાંઠે ઓખી વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. મોટાભાગની ફીશિંગ બોટ દરિયા કિનારે પરત આવી ગઈ છે. જો કે હજુ 500 જેટલી બોટોમાં સવાર 3000 જેટલા માછીમારો દરિયામાં છે જે કિનારા તરફ આવી રહ્યાના સમાચાર મળી રહ્યા છે.
દરિયા કિનારે ઝડપી વેગે પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગે કરી છે. સાથે સાથે ઓખી વાવાઝોડાની તીવ્રતા પણ સાંજ સુધીમાં ઘટે તેવી આગાહી કરવામાં આવી છે.