નવી દિલ્હીઃ દિલ્હીમાં ઓડ ઇવન નિર્ણયને લાગૂ કરવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો છે. આ પહેલા ઓડ ઇવનના નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. જો કે પાછળથી આ નિર્ણયને રદ કરવામાં આવ્યો છે. એટલે હવે સોમવારથી ઓડ ઇવન દિલ્લીમાં લાગૂ કરવામાં આવશે નહીં. NGTની ફટકાર બાદ ઓડ ઇવનનો નિર્ણય રદ કરાયો છે.
દિલ્હીમાં વધતા હવાના પ્રદુષ્ણને કાબુમાં કરવા માટે વાહનોને ઓડ-ઇવન ફોર્મૂલાને રાષ્ટ્રીય હરિત અધિકરણમાં મંજૂરી આપી હતી. જો કે એનજીટીએ આની સાથે કેટલીક શરતો પણ લગાવી હતી.
એનજીટીની આ શરોત બાદ દિલ્હી સરકારે પોતાનો નિર્ણય બદલ્યો છે. કેજરીવાલ સરકારે નિર્ણય લીધો છે કે હવે 13 નવેમ્બરેથી શરૂ થતી ઓડ-ઇવન લાગૂ નહીં કરવામાં આવે.