રાજકોટ એનએસયુઆઇના મંત્રીની હત્યાના સમગ્ર સૌરાષ્ટ્રમા ધેરા પ્રત્યાધાત પડ્યા છે. ત્યારે આજે ગાંઘીગ્રામ પોલીસે બે આરોપીઓને સરધાર પાસેથી જડપી લીઘા છે.
ગત તારીખ 29ના રોજ શહેરના બજરંગવાડી વિસ્તારમા એનએસયુઆઇના મંત્રી જયરાજસિહં જાડેજાની હત્યા કરવામા આવી હતી. બાઇક અથડાવા જેવી નજીવી બાબતે અજયસિહ વાળા અને ધનરાજસિહ જાડેજા એ હત્યા કરી નાંખતા શહેરમા કાયદા અને વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા હતા.
આ હત્યાને લઇને રાજકોટ NSUI અને યુવક કોગ્રેસના કાર્યકરો દ્રારા શહેરની કોલેજો બંધનુ એલાન આપવામાં આવ્યુ હતું.
જો કે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આજે રાજકોટ ભાવનગર હાઇવે પરથી બન્ને હત્યારાઓની ધરપકડ કરી લીઘી છે. આરોપીઓની પુરપરછ માટે ગાંઘીગ્રામ પોલીસ રીમાન઼્ડની માગંણી કરશે તેવી માહિતી ઉચ્ચ પોલીસ અધિકારીએ આપી હતી.